ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.
અગત્યની લિન્ક્સ

હેલ્પ-લાઇન
info@gujaratset.ac.in




અગત્યની તારીખો - GSET ૨૦૨૩
GSET પરીક્ષા તારીખ
૨૬ નવેમ્બર ૨૦૨૩
પરીક્ષા ફી ચુકવણી(પગલું ૧) અને
ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું ૨)
૨૧ ઓગસ્ટ ૨૦૨૩ (સવારે ૧૧.૦૦ વાગ્યાથી)
થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩
પરીક્ષાનો સમયગાળો 3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦)
પરીક્ષાનો સમય પેપર – I ૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦)
પેપર – II ૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦)

જો કોઈ ઉમેદવારને આ આન્સર - કી અંગે કોઈપણ અસંતોષ હોય તો તેઓ નિયત સમય મર્યાદામાં આન્સર - કી સામે વાંધો રજૂ કરી શકશે. ઉમેદવાર આન્સર - કી માટેનો પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે યોગ્ય પ્રમાણભૂત પુસ્તકો / સાહિત્ય તથા પ્રશ્ન દીઠ રૂ. ૧૦૦૦/- (પ્રતિ પ્રશ્ન)ના "Member Secretary, GSET" ના નામના વડોદરા દેય ડિમાન્ડ ડ્રાફ્ટ સહિત, મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET), ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, B - બ્લોક, ”ચમેલી બાગ”, યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ પાસે, પ્રા. સી. સી. મેહતા રોડ રોડ , પ્રતાપગંજ, વડોદરા - ૩૯૦ ૦૦૨ ને આન્સર - કી સામે વાંધા અરજી કરવાની નિયત સમય મર્યાદા તા. ૨૮ નવેમ્બર ૨૦૨૩ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી મોકલાવી શકશે. વાંધા અરજીના એન્વેલોપ પર "Grievance Regarding Answer Key(s) of GSET Examination" મથાળું મારવું. ઉમેદવારોએ મોકલેલા અભિપ્રાયોને નિષ્ણાતોની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આન્સર - કી સામેના તમામ વાંધાઓના સ્વીકાર અંગે GSET એજન્સીનો નિર્ણય અંતિમ રહેશે અને તે મુજબ તૈયાર કરેલ અંતિમ આન્સર - કી ના આધારે GSET પરીક્ષાનું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે. પ્રોસેસીંગ ચાર્જની ચુકવણી કર્યા વિના અથવા ઉચિતતા / પુરાવા વિના અને ઉપરોક્ત સૂચિત પ્રક્રિયા સિવાય અન્ય કોઈપણ માધ્યમ પર દાખલ કરાયેલ પડકારોનો જવાબ આપવામાં આવશે નહીં તથા GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આન્સર - કી સામેનો કોઇપણ વાંધો કોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

સુસ્વાગતમ

ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) એજન્સી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા , વડોદરાને મધ્યવર્તી એજન્સી તરીકે વર્ષ ૨૦૦૨ થી વ્યાખ્યાતા / અધ્યાપક સહાયક માટે ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) નું આયોજન કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન, નવી દિલ્હી દ્વારા માન્યતા આપવામાં આવેલ છે.

યુજીસી-નેટ બ્યુરો દ્વારા નિયત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરતાં , GSET એજન્સી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગુજરાત રાજ્યમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા આધારિત પસંદગી માટે સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ કરવા આવે છે. હાલમાં GSET પરીક્ષાનું ગુજરાત રાજ્યમાં અગિયાર (૧૧) કેન્દ્રો પર અને તેત્રીસ (૩૩) વિષયોમાં આયોજન કરવામાં આવે છે.

પરીક્ષાનું જાહેરનામું, મોડેલ / અગાઉના પ્રશ્નપત્રો, અભ્યાસક્રમ, ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, જવાબોની કૂંજી અને પરિણામો, ઑનલાઇન આવેદનપત્ર નોંધણી, પરીક્ષાલક્ષી વિગતો અને સૂચના અંગેની તમામ માહિતી અમારી વેબસાઈટ http://www.gujaratset.in મારફતે ઉપલબ્ધ કરવામાં આવે છે. GSET માં ઉત્તિર્ણ થયેલા હોય એવા ઉમેદવારોની, માત્ર ગુજરાત રાજ્યમાં આવેલ યુનિવર્સિટી / કોલેજ / સંસ્થાઓ (સરકારી / ખાનગી / સરકારી મદદથી) માં, વ્યાખ્યાતા / અધ્યાપક સહાયક તરીકે નિમણુંક, સંબંધિત સંસ્થા દ્વારા સંબંધિત સંસ્થાના નિયમો અને નિયમનોને આધિન રહીને કરવામાં આવશે. GSETમાં ઉત્તિર્ણ ઉમેદવાર માટે એનાયત પ્રમાણપત્ર આજીવન માન્ય રહશે.